લખાણ પર જાઓ

અશોક ચક્ર (પુરસ્કાર)

વિકિપીડિયામાંથી
અશોક ચક્ર પુરસ્કાર પટ્ટી (Ashoka Chakra Ribbon)

અશોક ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો સૌથી ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન પરમવીર ચક્ર પુરસ્કાર જેટલો જ ઊચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.

સૌ પ્રથમવાર ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં નાયક નર બહાદુર થાપાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી, જે આજદિન સુધી ચાલુ રહી છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]